Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરત:કાપોદ્રામાં એટીકેટી આવવાથી કોલેજીયન વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પરિવારની માથે આભ ફાટ્યું

  સુરત :  એટીકેટી આવવાથી  ટેન્શનમાં આવીને વરાછાની કોલેજીયન વિધાર્થીની  આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં ચંન્દ્રીકા એપાર્ટમેન્ટમાં રહેતી ૧૯ વર્ષીય પ્રિન્સી વિનોદભાઇ ડોંડા ગત તા.૨૫મી ઝેરી દવા પી જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં સારવાર દરમિયાન તેનું ગત રાતે મોત થયુ હતુ. પોલીસે કહ્યુ કે પ્રિન્સી મુળ ભાવનગરના નારીની વતની હતી. તે કોલેજમાં  બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે તેની બીકોમમાં બીજા વર્ષમાં બે વિષયમાં એટીકેટી આવી હતી. જેના લીધે તે સતત માનસિક તાણ અનુભવતી હોવાથી આ પગલુ ભર્યુ હતુ.તેની એક બહેન અને એક ભાઇ છે. તેના પિતા રત્નકલાકારનું કામ કરે છે. વરાછા પોલીસે તપાસ આદરી છે.

(4:51 pm IST)