Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અમદાવાદમાં કવરાવતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 419 નવા કેસ નોંધાયા:વધુ 454 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10,947: કુલ 12,19.657 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 43.981 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3512 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 419 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 454 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.19.657 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.947 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.83 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 43.981 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,15.76.687 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3512 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે,અને 3511 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 419 અમદાવાદ કોર્પોરેશન 150 કેસ, સુરત કોર્પોરેશન 87 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 29 કેસ,મહેસાણામાં 19 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 16 કેસ,મોરબીમાં 12 કેસ,વડોદરા અને વલસાડમાં 11-11 કેસ,ગાંધીનગરમાં 10 કેસ,સુરતમાં 9 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, ભરૂચ, ગાંધીનગર, કચ્છ અને નવસારીમાં 7-7 કેસ, અમદાવાદ અને જામનગર કોર્પોરેશનમાં 5-5 કેસ, રાજકોટમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, આણંદ ,પાટણ,પોરબંદર અને સાબરકાંઠામાં 2-2 કેસ, ભાવનગર, દાહોદ,જમાનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે 

(7:41 pm IST)