Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દાહોદ અને રેંટિયા વચ્ચે રેલવે લાઈનમાં ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના તેના પરિવારની શોધખોળ આદરી

દાહોદ તા.04 : દાહોદ-રેંટિયા રેલ્વે લાઇન પર એક મૃતદેહ પડ્યો હોવાની રેલવે જી.આર.પી. પોલીસને માહિતી મળી હતી. જેને લઈ રેલવે પોલીસે લાઈન ઉપર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું. યુવકનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજયું છે. જેની લઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

દાહોદ અને રેંટિયા વચ્ચે રેલવે લાઈનમાં ટ્રેનની અડફેટે અજાણ્યો યુવક આવી જતાં અકસ્માત સર્જાયો હતો. તેને માથાના ભાગે અને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યુ હતું. ત્યારે મૃતદેહ પડ્યો હોવાની માહિતી રેલવે જી.આર.પી. પોલીસને મળી હતી. પોલીસે લાઈન ઉપર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દાહોદ રેટિયા રેલવે લાઈન ઉપર એક 40 વર્ષીય અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે અને ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે PM અર્થે મોકલી આપી તેના પરિવારની શોધખોળ આદરી હતી.

(8:27 pm IST)