Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જિતગઢ ગામનાં રૂટ પર એક વર્ષથી ST બસ બંધ થતા વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ તરફના રૂટ પર જતી એસટી બસ એકાદ વર્ષથી બંધ થતા ગ્રામજનો દ્વારા ડેપોનાં અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી
ગ્રામજનો અને વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી જિતગઢ,સુંદરપુરા અને કરજણ ડેમ નાં રૂટ પર આવતી બસ બંધ હોય આ રૂટ પર એકપણ બસ નહિ આવતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ રિક્ષા માં ભાડું ખર્ચી અભ્યાસ માટે આવવું પડતું હોય તેમના વાલીઓ ની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અમુક વિદ્યાર્થીઓ ક્યારેક ભાડા નાં કારણે શાળા માં નહિ આવી શકતા અભ્યાસ બગડે છે માટે ડેપો સત્તાધીશો આ રૂટની બસ શરૂ કરે તેવી રજૂઆત કરાઈ છે .
ગામના સરપંચ મનીષભાઈ વલવી એ જણાવ્યું કે ગામના વિદ્યાર્થીઓ એ મને એસટી બસ બાબતે રજૂઆત કરતા હું વિદ્યાર્થીઓ સાથે હાલમાં રાજપીપળા એસટી ડેપોમાં અધિકારી ને બસ શરૂ કરવા રજૂઆત કરવા આવ્યો છું રજૂઆત બાદ ડેપો અધિકારી એ આવતીકાલ થી બસ શરૂ થશે તેમ જણાવ્યું છે.

(10:46 pm IST)