Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પાલનપુર-સામખિયાળી સેક્શન ડબલ લાઇનના બાંધકામના કારણે બે ટ્રેનો રદ ; બે ડાયવર્ટ કરાઈ

અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ, અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ અને અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતી (ધરમ નગર)થી ચલાવાશે

પાલનપુર-સામખિયાળી સેક્શન પર વારાહી-વાઘપુરા-છાંસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના બાંધકામને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના પાલનપુર-સામખિયાળી સેક્શન પર વારાહી-વાઘપુરા-છાંસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના બાંધકામને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે.

રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ તારીખ 5મી જુલાઈ અને 7મી જુલાઈ 2022 રદ રહેશે

ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 6 જુલાઇ 2022 રદ રહેશે.

ટ્રેનો ડાયવર્ટ

ટ્રેન નં. 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ તારીખ 7મી જુલાઈ 2022ના રોજ સામખિયાળી-ધાંગધ્રા-વિરમગામ-મહેસાણા-પાલનપુર થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.

ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ તારીખ 6ઠ્ઠી જુલાઈ 2022 પાલનપુર-મહેસાણા-વિરમગામ-ધાંગધ્રા-સામખ્યાલી થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ, અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ અને અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતી (ધરમ નગર)થી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

તારીખ 11 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે.

તારીખ 12 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે.

તારીખ 16 જુલાઈ 2022થી, ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 17:55 કલાકે ઉપડશે.

તારીખ 11 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે.

તારીખ 10 જુલાઈ 2022થી, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે.

તારીખ 14 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે.

 

અમદાવાદ-પુરી એક્સપ્રેસ, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો ઇસ્ટ કોસ્ટ રેલવે પર સંબલપુર ડિવિઝનના તિતલાગઢ -સિકિર સેક્શન પર ડબલિંગ કામ અને તિતલાગઢ-કેસિંગા સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના બાંધકામ સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. . જેની વિગતો નીચે મુજબ છેઃ-

08મી અને 15મી જુલાઈ 2022ના રોજ, ટ્રેન નંબર 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રાયપુર-તિતલાગઢ-સંબલપુરને બદલે IB-સંબલપુર થઈને બદલાયેલા રૂટ પર દોડશે.

 06મી અને 13મી જુલાઈ 2022ના રોજ, ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સંબલપુર-તિતલાગઢ-રાયપુરને બદલે સંબલપુર-આઈબી થઈને દોડશે.

 08મી અને 15મી જુલાઈ 2022ના રોજ ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-તિતલાગઢ-સંબલપુરને બદલે IB-સંબલપુર થઈને બદલાયેલા રૂટ પરથી દોડશે.

તારીખ 11મી અને 18મી જુલાઈ 2022  ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સંબલપુર-તિતલાગઢ-રાયપુરને બદલે સંબલપુર-આઈબી થઈને દોડશે.

07,11 અને 14 જુલાઈ 2022 ના રોજ  ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સંબલપુર-તિતલાગઢ-રાયપુરને બદલે સંબલપુર-આઈબી થઈને દોડશે.

07,12 અને 14 જુલાઈ 2022 ના રોજ  ટ્રેન નંબર 20824  અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-તિતલાગઢ-સંબલપુરને બદલે IB-સંબલપુર થઈને બદલાયેલા રૂટ પરથી દોડશે.

(11:14 pm IST)