Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દેત્રોજ તાલુકાના શિહોર અને કોઇન્તિયા ગામ ખાતે નવીન નંદ ઘર આંગણવાડીનું લોકાર્પણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના શિહોર અને કોઇન્તિયા ગામ ખાતે નવીન નંદ ઘર આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય, સરકારી અધીકારીઓ કર્મચારીઓ, પદાધીકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

    વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, મારા મતવિસ્તાર નાં દેત્રોજ તાલુકાના શિહોર અને કોઇન્તિયા ગામ ખાતે નવીન નંદ ઘર આંગણવાડીનું લોકાર્પણ કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે જિલ્લા /તાલુકાના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

 

(5:04 pm IST)