Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

દેત્રોજ તાલુકાના અશોકનગરના જગદીશભાઈ પટેલ દ્વારા દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશને ધજા ચડાવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :

દેત્રોજ તાલુકા ના અશોકનગર ગામના વતની અને ધી અશોકનગર કોટન શેલ ના ચેરમેન જગદીશભાઈ કાંતિભાઈ પટેલ દ્વારા દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ ને ધજા ચડાવવામાં આવી હતી. આ શુભ પ્રસંગે તેઓના  પરિવારના સભ્યો હાજર હતા.  જગદીશભાઈના પિતાશ્રી પૂર્વ ધારાસભ્ય હતા. સમગ્ર વિસ્તારમાં  ' રામ ' ના હુલામણા નામે ઓળખાતા હતા. તેઓ તરફથી વિસ્તારમાં અનેક સખાવતના કાર્યક્રમો યોજાયા હતા.તસવીર: ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(5:47 pm IST)