Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

તિલકવાડા નાં રોઝનાર ગામમાં લગ્ન વિના એકલતા અનુભવતા શખ્સે ઝેરી દવા પીતાં મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રોઝનાર ગામના યુવાનનું લગ્ન નહિ થતા પોતે એકલતા અનુભવતા હોય તેમને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગુભાઇ હિંમતભાઈ બારીયા એ પોલીસને જાણ કર્યા મુજબ તેમના ભાઈ રમેશભાઈ હિમ્મતભાઈ બારીયા ઉ.વ.૪૫ રહે રોઝાનાર તા. તિલકવાડા નાઓનુ લગ્ન થયેલ ના હોય અને તેઓ એકલતા અનુભવતા હોય જેથી તેમને મનમાં લાગી આવતા તા.૦૨/૧૨/૨૦રર ના સાંજના આશરે સાડા આંઠેક વાગે પોતાના ઘરે કપાસમા છાંટવાની ઝેરી દવા પી જતા તિલકવાડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરેલ જેમનું સારવાર દરમ્યાન રાત્રીના પોણા દશેક વાગે મોત નિપજ્યા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:13 am IST)