Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે બેદરકારી પૂર્વક રીક્ષા ચાલકે ચલાવતા રીક્ષા પલટાઈ:38 વર્ષીય મુસાફરનું ગંભીર ઇજાથી મોત

મેઘરજ:તાલુકાના બાંઠીવાડા ગામે હોળી ચકલા પાસે વળાંકમાં રિક્ષા ચાલકે બેદરકારી રીતે ચલાવતાં રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષામાં મુસાફરી કરી રહેલ ૩૮ વર્ષીય ઇસમને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયુ હતું જયારે રિક્ષા ચાલક રિક્ષા મુકી ફરાર થઇ ગયો હતો.

બુધવાર સાંજે બાંઠીવાડા હોળીચકલા ઘરનાળા નજીક વળાંકમાં સી.એન.જી. રિક્ષાનો ચાલક પોતાની રિક્ષા પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં રિક્ષા પલટી જતાં રોડ સાઇડે ચોકડીમાં ખાબકી હતી. રિક્ષા પલટી જતાં રિક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો.

જ્યારે રિક્ષામાં મુસાફરી કરનાર ૩૮ વર્ષીય જગદિશભાઈ ઉજમાભાઇ બારીયા (રહે. નાનાવાડાતા. માલપુર)ને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજયું હતું. જે ઘટનાની મૃતકના ભાઇ નરેશ બારીયાને થતાં ઘટના સ્થળે જઇ મેઘરજ પોલીસને જાણ કરી પોલીસ મથકે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મેઘરજ પોલીસ સ્ટેશનના પી.િઆ. ભરવાડે મૃતદેહને મેઘરજ સરકારી દવાખાને લાવી પી.એમ. કરાવી રિક્ષા ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:16 pm IST)