Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સુરતના ડિંડોલીમાં ઉમિયા ધામ રેસિડેન્સીમાં પત્ની ઘર છોડીને ચાલી જતા પતિએ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરના ડીંડોલીમાં દેલાડવાગામ પાસે ઉમિયા ધાામ રેસીડન્સીમાં રહેતા 57 વર્ષીય બબ્બનભાઇ યંશવતભાઇ કુમાવતે બુધવારે બપોરે ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી. ડિૅડોલી પોલીસે  કહ્યુ કે બબ્બનભાઇને માનસિક તકલીફ હોવાથી તે તેની પત્ની પર ખોટા વહેમ રાખતા હતા. જેથી તેમની પત્ની પુત્રીના ઘરે જતી રહી હતી. તેથી માનસિક તાણમાં આ પગલું ભર્યું હતું. પરિવારના સભ્યો તેમને સારવાર અપાવવા માટે તજવીજ કરતા અને અન ેતે માટે ઘરે ગયા ત્યારે બબ્બાનભાઇ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(5:17 pm IST)