Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

અન્ય રાજ્યમાં ગયેલા અમદાવાદીઓને ફરીથી શહેરમાં પ્રવેશ વેળાએ 72 કલાક પહેલાનો RT PCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત

હાઇકોર્ટની ટકોર બાદ ફરીથી 27-3-2021નો હુકમનો અમલ : તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાતપણે કરવાનું રહેશે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અન્ય રાજ્યથી પ્રવેશ કરનારને છેલ્લા 72 કલાકનો RT PCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ આવેલ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે અને અન્ય રાજ્યોમાંથી અમદાવાદમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાતપણે કરવાનું રહેશે તે મુજબનો હુકમ 27-3-2021ના રોજ કરવામાં આવ્યો હતો

 આ અનુસંધાને અમદાવાદ મનપા દ્વારા તા;5થી શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં તે મુજબનો સરકારના ઉચ્ચ અધિકરીઓના પરામર્શમાં રહીને કરવામાં આવ્યો હતો તેવામાં નામદાર હાઇકોર્ટ દ્વારા આ મુદા ઉપર ચર્ચા કરવામાં આવેલ તેમજ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ આવેલ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે,

(10:12 pm IST)