Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજપીપળા આયુર્વેદિક કોલેજમાં 181 હેલ્પલાઇન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા 181 મહીલા હેલ્પલાઇનની ટીમ દ્વારા આયુર્વેદિક કોલેજ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ હતી.
  5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ રાજપીપળા અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ અને 108 ની ટીમના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક કોલેજ રાજપીપળા ખાતે વૃક્ષારોપણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણના જતન માટે દરેક વ્યક્તિઓએ વૃક્ષો વાવી પોતાનું યથા શક્તિ યોગદાન આપવું જોઈએ તેવો મેસેજ આપવામાં આવ્યો હતો.

(10:09 pm IST)