Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના ઍસબીપુરા પાટીયા નજીક ૨ ટ્રક વચ્ચે અકસ્માતમાં ૩ વ્યકિત અને ૨૦ ઘેટા-બકરાનો ભોગ લેવાયો

રાજસ્થાનથી ઘેટા-બકરા ભરીને અમદાવાદ તરફ જતા ટ્રકે આગળની ટ્રકને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઇ

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત માં ત્રણ લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. આ સાથે જ અકસ્માતમાં 20થી વધારે ઘેટાંના પણ મૃત્યુ થયા છે. આ બનાવ પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક બન્યો છે. અહીં બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને ભલભલા લોકો કંપી ઉઠે. મળતી માહિતી પ્રમાણે પાલનપુર ના એસબીપુરા પાટીયા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ત્રણ વ્યક્તિ અને એક ટ્રકમાં ભરેલા 20થી વધારે ઘેટાંના મૃત્યુ થયા છે.
રાજસ્થાનથી ઘેટાં-બકરાં ભરી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકે આગળની ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ઘેટાં-બકરાં ભરેલી ટ્રકની આગળની ટ્રક સાથે ટક્કર બાદ ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિનાં મોત થયા હતા. આ સાથે જ ટ્રકની અંદર ભરેલા 20થી વધારે ઘેટાં-બકરાં પર મૃત્યુ પામ્યા હતા. બનાવની જાણ થયા બાદ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી

(4:43 pm IST)