Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વડોદરાના ડભોઇમાં મકાન વેચવાનો વાયદો કરી મકાનમાલિક દંપતીએ બારોબાર મકાન વેચી દઈ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરનાડભોઇમાં મકાન વેચાણ આપવાનો વાયદો કરી મકાનમાલિક દંપતીએ બારોબાર અન્યને વેચી દઈ અમદાવાદની સાધ્વી સાથે છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ડભોઇના વડોદરી ભાગોળ વિસ્તારમાં આવેલ અંબામાતાના ખાંચાની મિલકત કમલેશ ચંપકલાલ પારેખ અને તેમના પત્ની મીનાબેન બંનેએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રહેતા સાધ્વીજી ડોક્ટર વિદિતાકુમારી મહાસતીજીને વેચાણ આપવાનું નક્કી કર્યું હતું.આ અંગે પતિ અને પત્નીએ સાધ્વીજી સાથે બાનાખત પણ કર્યું હતું બાનાખત પેટે સાધ્વીજીએ રૂપિયા સાત લાખ દંપતીને ચૂકવ્યા હતા પરંતુ અન્ય ગ્રાહક પાસેથી વધુ રૂપિયા મેળવવાની લાલચમાં દંપતીએ ડભોઇમાં રહેતા બ્રિજેશ ઘનશ્યામ શાહને બારોબાર મિલકત વેચી દીધી હતી સાધ્વીજીએ પોતાની સાથે ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:48 pm IST)