Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થવાના આરે : રાજ્યમાં 28 જિલ્લા અને 4 મનપા વિસ્તરામાં એકપણ નવો કેસ નહીં

અમદાવાદ :  રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે હવે 20-30ની વચ્ચે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે કુલ 28 જિલ્લા અને 4 મહાનગરમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે

આજે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, પોરબંદર, પાટણ, વડોદરા,વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી 

(8:49 pm IST)