Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

શિક્ષક દિન વિશેષ : કોરોનાની આફતને ભારતજનોએ અવસરમાં પરીણમી

કોરોનાએ શિક્ષક બનીને ઘણાય વ્યક્તિઓનું જીવન પરિવર્તન કર્યુ : જીવનશૈલી બદલી

અમદાવાદ : કોરોનાની વ્યાપક મહામારીના કારણે લાગુપડેલા લોકડાઉનમાં સમાજના ઘણાય વર્ગમાં જીવનપરિવર્તન જોવા મળ્યુ...સતત નોકરી ધંધામાં વ્યસ્ત રહેતા અને સતત જીવનનિર્વાહ માટે બે પાંદડે થવા મથતા વ્યક્તિઓ લોકડાઉનમાં પોતાના પરિવારજનોની વધુ સમીપે આવ્યા છે. 21મી સદીને તકનીકી સદીને કારણે સંબંધોથી પરસ્પરની લાગણીઓથી વિખૂટી થઇ ગયેલાના આરોપોનું પ્રત્યારોપણ સહન કરતી યુવા પેઢી પોતાના વડીલોની સેવા-શુશ્રુષા કરતી જોવા મળી.. બાળકો તેમના દાદા-દાદીથી ફરી વખત વાર્તાઓ સાંભળતા જોવા મળ્યા.... આઝાદીની લડવૈયાઓ ભારત દેશ આઝાદ થવાની યશગાથાઓ પૌત્ર અને પૌત્રીઓને સંભળાવતા  જોવા મળ્યા.... હવે કહો કોરોના જેવો કોઇ શિક્ષક ખરો.......?

શિક્ષકનું કામ કુમળા છોડનું સિંચન કરીને તેની ડાળ મજબૂત કરી તેને વટવૃક્ષમાં રૂપાંરિત કરવાનું છે.. બસ કોરોનાએ પણ કંઇક આવું જ કર્યુ છે... કોરોના વાયરસે પોતાની તિવ્રતાના કારણે ઘણાય લોકોને ભયભીત તો કર્યાા જ... પરંતુ ઘણાય લોકોને બોધપાઠ પણ શિખવ્યા... 

જીવનની દરેક આફતની સામે મજબૂતીપુર્વક લડત આપવા માટે શિક્ષક પોતાના વિધાર્થીને સક્ષમ  બનાવે છે.....જીવવની કોઇપણ પરિસ્થિતિઓમાં પાછીપાની ન કરીએ.. તેનો બહાદૂરીપુર્વકનો સામનો કરીએ તેની પ્રેરણા, તાલીમ અને માર્ગદર્શન શિક્ષક તરફથી મળે છે....

૫ મી સપ્ટેમ્બર 2020 નો આ શિક્ષકદિન આપમેળે જ વિશિષ્ટ છે......કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ઉજવણી થઇ રહેલ શિક્ષકદિનની મહિમાં અપાર છે.... કોરોનાએ કહેવામાં તો આખાય વિશ્વને હેરાન – પરેશાન કરી નાખ્યો છો... વિશ્વ ત્રાહીમામ પોકારી ઉઠ્યુ છે.....પરંતુ સમાજનો  ઘણો વર્ગ એવો પણ છે જેને કોરોનાએ બોધ પાઠ ભણાવ્યા છે... ઘણાય ની જીવન જીવવાની શૈલી બદલી નાંખી જ્યારે ઘણાય નો જીંદગી માટેનો અભિગમ....

ગ્લોબલ વોર્મિગના કારણે ઓઝોન લેયરમાં પડેલા ગાબડામાં સુધારો થતો જોવા મળ્યો જેના કારણે માનવસૃષ્ટિને સ્વચ્છ ઓક્સિજન પહોંચતું થયુ... આ સ્વચ્છ ઓક્સિજનની ઉપયોગીતા સમજીને લોકો કુદરતી સંસાધનોની વધુ નજીક આવ્યા છે.. કુદરતી સંસાધાનનો બચાવ કરવા તરફ પ્રેરાયા છે. 

ભારતીય સંસ્કૃતિમાં હંમેશાથી જ આયુર્વેદનું મહત્વ રહ્યુ છે. આપણા વડવાઓ નજીવી તકલીફ થી લઇ વાઢકાપ સુધીની સારવાર આયુર્વેદિક યુનાની પદ્ધતિ દ્વારા ઘરે જ કરી લેતા હતા.. પરંતુ 21મી સદીને ટેકનોલોજીની સદી માનતા અને મશીનોની જેમ દિવસ રાત કામ કરતા સમાજનો ઘણો વર્ગ પોતાના સ્વાસ્થય પ્રત્યે ઉદાસીનતા દાખવતું હતુ.  પોતાના સ્વાસ્થયને પણ નેવે મૂકીને બિમારીમાં ઝડપભેર સાજા થઇ ફરી કામે લાગવાની મંશા રાખી નાની-નાની તકલીફોમાં પણ એલોપેથી દવાઓનું સેવન કરતા જોવા મળતા જે આદતોમાં પણ સુધારો થતો જોવા મળ્યો છે.... લોકો કોરોનાની મહામારીમાં આયુર્વેદનું મહત્વ સમજ્યા છે.....કોરોનાએ બાહ્ય દેખાવો કરીને મજબૂતી નો ડોળ કરવા સિવાય શરીરના અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિ વધારવા તરફ લોકોને પ્રેરયા  છે. 

એક શિક્ષક આફત ને અવસરમાં કેવી રીતે પલટવી તેનું અક્ષરજ્ઞાન પોતાના વિધાર્થીઓને જરૂરથી આપે છે તેવું જ કોરોના નામના શિક્ષકે  પણ કર્યુ છે.... ઘણી વસ્તુઓમાં જ્યાં આપણે વિદેશી આયાતો પર જ નિર્ભર હતા ... કોરોના મહામારી વચ્ચે લોકડાઉનની વિકટ પરિસ્થિતિઓમાં આત્મનિર્ભર બનીને તે તમામ વસ્તુઓ જેવી કે પી.પી.ઇ. કીટ., N-95 માસ્ક ..જેવી અઢળક વસતુઓમાં આપણે ભારતવાસીઓએ આત્મનિર્ભર બનીને  કોરોના નામની આફતને પણ અવસરમાં પરીણમી છે. 

યુવાનો માં તેમજ શહેરી વર્ગમાં જ્યા ફાસ્ટ ફુડનું ચલણ વધું જોવા મળે છે ત્યાં કોરોના નામના શિક્ષકે  આ વર્ગને જંક ફૂડ વગર પણ જીવી શકાય છે તે શિખવ્યુ છે.. કોરોનાકાળમાં લોકડાઉનના જ્યારે  આ તમામ જંક ફુૂડ ની દુકાનો બંધ રહેવા પામી  હતી ત્યારે ગૃહભોજન શ્રેષ્ઠ ભોજનના મંત્રને ગૃહિણીઓએ અપનાવ્યો, પુરુ઼ષો પણ રસોડામાં અવનવી વાનગીઓ પર ઓનલાઈન માધ્યમથી પોતાનો અજમાવતા જોવા મળંયા... આજે આ તમામ વર્ગ દેશી ભોજન ની મહત્તા સમજ્યા છે.. શરીર માટે ફાયદાકારક ભોજનનું સેવન કરતા થયા છે.. 

હવે કહો કે કોરોના થી શ્રેષ્ઠ શિક્ષક બીજો કોઈ હોય ખરો? 

*સંકલન :: અમિતસિંહ ચૌહાણ*

(4:08 pm IST)