Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વડોદરામાં કોરોનાનો વણથંભ્યો કહેર : નવા 119 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 8673 થઇ : વધુ એકનું મોત : આજે 171 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

વાધોડીયા રોડ , પાણીગેટ , આજવા રોડ , સમા , નિઝામપુરા , દંતેશ્વર , હરણી રોડ , વારસીયા , છાણી સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

વડોદરા : વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 119 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 8673 થઇ છે આજે વધુ એક દર્દીઓનું મોત થતા મૃત્યુઆંક 149 થયો છે જયારે આજે વધુ 171 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે કુલ 7109 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે છેલ્લા 24 કલાકમાં કુલ 2349 સેપમ્લ લેવાયા હતા                                                                              

   વડોદરામાં આજે વાધોડીયા રોડ , પાણીગેટ , આજવા રોડ , સમા , નિઝામપુરા , દંતેશ્વર , હરણી રોડ , વારસીયા , છાણી , નવાપુરા , નાગરવાડા , ગોત્રી , દિવાળીપુરા , અટલાદરા , ગોરવા , માંજલપુર , મકરપુરા , તરસાલી , વાડી , સુભાનપરા , ફતેપુરા વિસ્તારમાં કોરોના કેસ નોંધાયા છે જયારે ગ્રામ્યમાં કોયલી , ભાયલી , સેવાસી , પોર , અનગઢ , ખટંબા , ડભોઇ , પાદરા , કરજણ , સાવલી , આમોદરકોરોના કેસ નોંધાયા છે 

(6:21 pm IST)