Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજ્યમાં કોરોના બેલગામ : નવા 1311 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 16 લોકોના મોત કુલ કેસનો આંક 103006 થયો :વધુ 1148 દર્દીઓ સાજા થતા કુલ 83546 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

સુરતમાં સૌથી વધુ 277 કેસ,અમદાવાદમાં 167 કેસ, વડોદરામાં 119 કેસ, જામનગરમાં 111 કેસ, રાજકોટમાં 145 કેસ,ભાવનગરમાં 42 કેસ,પંચમહાલમાં 33 કેસ, બનાસકાંઠામાં 32 કેસ, અમરેલીમાં 28 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે  નવા 1311 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 16 લોકોના મોત  થયા છે મૃત્યુઆંક 3094 થયો છે રાજ્યમાં કોરોનાના કુલ  કેસનો આંકડો 103006 થયો છે  આજે વધુ 1148 દર્દીઓ સાજા થતા કુલ  83546 લોકોએ કોરોના સામે જંગ જીત્યો  છે

 રાજ્યમાં આજે નોંધાયેલ 1311 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 277 કેસ,અમદાવાદમાં 167 કેસ, વડોદરામાં 119 કેસ, જામનગરમાં 111 કેસ, રાજકોટમાં 145 કેસ,ભાવનગરમાં 42 કેસ,પંચમહાલમાં 33કેસ, બનાસકાંઠામાં 32 કેસ, અમરેલીમાં 28 કેસ નોંધાયા છે

  રાજ્યમાં કુલ 16366 એક્ટિવ કેસ છે જેમાં  16281 લોકો સ્ટેબલ છે જયારે 85 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

(7:52 pm IST)