Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વડોદરાના સયાજી ટાઉનશીપ નજીક મકાનને નિશાન બનાવી તસ્કરો 9.30 લાખની મતા ચોરી છૂમંતર.....

વડોદરા:શહેરના સયાજી ટાઉનશીપ રોડ ઉપર આવેલી હેમદીપ પ્રેસિડેન્સીમાં ગરબા જોવા ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા 70000 સોના ચાંદીના દાગીના મળી કુલ 9.30 લાખની મતા ચોરી ફરાર થઈ જવા પામ્યા છે. આમ, પ્રતિ વર્ષની માફક હવે દિવાળીના સમયે ચોરી, લૂંટના બનાવ સામે આવે તેવી શક્યતા છે. 

આ અંગેની વિગત એવી છે કે, સયાજી ટાઉનશીપ રોડ ઉપર આવેલી હેમદીપ રેસિડેન્સીમાં રહેતા યોગેશભાઈ રાજનાથ સરોજ ફતેગંજ સેવનસીઝ મોલ પાસે  વડાપાઉંની દુકાન ધરાવે છે. ત્રણ ઓક્ટોબરના રોજ રાત્રે મકાનને લોક કરી તેઓ પરિવાર સાથે ફતેગંજ પેટ્રોલ પાસેના ગરબા જોવા માટે ગયા હતા. જ્યાંથી રાત્રિના બે વાગ્યાના સુમારે પરત ફરતા તેમના મકાનના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું જણાય આવ્યું હતું. અને ઘરમાં સામાન વેરવિખેર સાથે તિજોરીનું લોક તૂટેલું હોય ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા અજાણ્યા તસ્કરો લાકડાના કબાટ તથા લોખંડની તિજોરીમાંથી રોકડા રૂ. 70 હજાર  તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 9.30 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:19 pm IST)