Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો: નવા 85 કેસ નોંધાયા:વધુ 82 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.035 થયો :કુલ 12.63.398 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 7406 લોકો રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા:રાજયમાં હાલમાં 721 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 85 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 82 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,63,398 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,035 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.08 છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 7406 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,70.35.873 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

  રાજ્યમાં હાલ 721 એક્ટિવ કેસ છે.જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 716 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 85 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 23 કેસ, સુરત કોર્પોરેશનમાં 15 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 13 કેસ, વડોદરામાં 7 કેસ,સુરતમાં 5 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, અમરેલી, બનાસકાંઠા,ગાંધીનગર,જામનગર, મહેસાણા,અને નવસારીમાં 2-2 કેસ, ભાવનગર કોર્પોરેશન,જૂનાગઢ, કચ્છ,મોરબી, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:43 pm IST)