Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વડોદરાના બરાનપુરા અખાડાના કિન્‍નર અંજુમાસીની આગેવાનીમાં 200થી વધુ કિન્‍નરોએ મતાધિકાર કર્યો

અંજુમાસીએ મતદારોને હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો

વડોદરાઃ વડોદરા શહેરના બરાનપુરા અખાડાના કિન્‍નર આગેવાન અંજુમાસીએ આ સમાજના 200થી વધુ મતદારોને મતદાન કરાવ્‍યુ છે. 200થી વધુ કિન્‍નરોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે.

ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. ત્યારે અનેક બૂથના મતદારો પ્રોત્સાહક બન્યા છે. આ મતદારો લોકોને મત આપવા અપીલ કરી રહ્યાં છે. વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાની આગેવાની હેઠળ આ સમાજના 200 ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી. 200 થી વધુ કિન્નરોએ વોટ કરીને લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું. અંજુ માસીબાએ શહેર જિલ્લાના મતદારોને હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો.

(5:30 pm IST)