Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

અક્તેશ્વર ગામમાં કપાસના ખેતરમાં ટ્રેકટર વડે ઉભા પાકને નુકશાન કરનાર ત્રણ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામમાં નિવૃત્ત શિક્ષકના કપાસના ખેતરમાં ઉભા પાકને નુકશાન કરનાર ત્રણ શખ્શો સામે ફરિયાદ થતા ગુનો દાખલ થયો છે

 મળતી માહિતી મુજબ પ્રભાતભાઇ ચીમનભાઇ બારીયા નિવૃત શિક્ષક (રહે, કોયારી મંદિર ફળીયુ, તા.તિલકવાડા, જી. નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ અનુસાર વિનોદભાઇ વિઠ્ઠલભાઇ બારીયા (૨) ઉમાકાંતભાઇ વિઠ્ઠલભાઇ બારીયા (બંને હાલ રહે-ઉડેરા ભાઇલાલભાઇ પાર્ક તા-વડોદરા જી-વડોદરા મુળ રહે-કોયારી )નાઓએ પ્રભાતભાઈની માલીકીના અક્તેશ્વર વગામાં આવેલ સર્વે નંબર ૨૦૭ વાળા કપાસના વાવેતર વાળા ખેતરમાં રાજેશભાઇ બચુભાઇ તડવી (રહે-ગરૂડેશ્વર કોયારી)ને તેનુ ટ્રેક્ટર લઇને બોલાવી કપાસના ઉભા પાકને ટ્રેક્ટરની કલ્ટી મારી કપાસના છોડને ઉખેડી નાખી નુક્શાન કરતા ગરુડેશ્વર પોલીસે આ ત્રણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

 

(10:05 pm IST)