Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગાંધીનગરના રસાયણમાં ગરમ પાણી કરવાના હિટરમાં શોર્ટ સર્કિટથી અચાનક આગ લાગતા મકાન આગમાં લપેટાયુઃ ઘરવખરી બળી જતા જાદવ પરિવારને નુકશાન

બેદરકારીના લીધે ઇલેકટ્રોનિક્‍સ ઉપકરણો ક્‍યારેક આશિર્વાદને બદલે અભિશાપ થઇ શકે

ગાંધીનગરઃ શિયાળાનો કહેર પોતાનો રેકોર્ડ તોડી રહ્યો છે. કારણે, રૂમ હીટર અથવા કોલ સ્ટવનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં સામાન્ય છે, પરંતુ જો તેના ઉપયોગમાં કેટલીક સાવચેતી રાખવામાં આવે તો આગ ફાટી નીકળી શકે છે. આવુ ગાંધીનગરમાં એક ઘરમાં થયું. ગાંધીનગરમાં હીટરના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. પાણી ગરમ કર્યા બાદ અચાનક શોર્ટ સર્કિટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ઘરમાં આગની ચપેટમાં આવી જવા પામ્યું હતું.

ગાંધીનગરમાં આજે હીટરને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. રસાયણ ખાતે ગુડાના મકાનોમાં બી બ્લોકમાં આવેલ 3 નંબરના ઘરમાં આગ લાગી હતી. સંગીતાબેન જાદવનો 17 વર્ષીય દીકરો પ્રિન્સ ઘરે એકલો હતો, તેણે ન્હાવા માટે હિટરમાં પાણી ગરમ કરવા મૂક્યુ હતું. પાણી ગરમ થઈ ગયા બાદ તે ન્હાવા ગયો ત્યારે અચાનક શોર્ટસર્કિટ થયુ હતું. જેને કારણે મકાનમાં આગ પ્રસરી હતી. આગમાં આખુ ઘર લપેટાયુ હતું. આગમાં સ્માર્ટ ટીવી તથા ઘરની અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમ બળીને સ્વાહા થઈ ગઈ હતી. જાદવ પરિવારને મોટું નુકસાન થયુ હતું

કડકડતી ઠંડી વચ્ચે જ્યારે નહાવાની વાત આવે છે ત્યારે લોકોનો આત્મા કંપી ઉઠે છે, સ્વાભાવિક છે કે શિયાળામાં ઠંડા પાણીથી નહાવું અશક્ય છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો ગેસ પર પાણી ગરમ કરે છે અથવા કેટલાક લોકો સળિયાનો ઉપયોગ કરે છે, જો કે હવે મોટાભાગના લોકો ગીઝરને પ્રાધાન્ય આપે છે. કેમ કે તે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તમારી થોડી બેદરકારીને લીધે ગીઝરનો ઉપયોગ તમારા માટે ભારે પડી શકે છે..એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે નહાતી વખતે ગીઝર ફાટ્યું હોય અને મૃત્યુ થયું હોય. આવું કેમ થાય છે, તે જાણવું જરૂરી છે.

કેમ થાય છે બ્લાસ્ટ?

ઈલેક્ટ્રિક ગીઝર દરેકના ઘરમાં જોવા મળે છે. જો ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો ગીઝર ગરમ થઈ જાય છે જેથી બ્લાસ્ટ થાય છે..જ્યારે ગીઝર ચાલુ હોય છે, ત્યારે તેના બોઈલર પર દબાણ આવે છે અને લીકેજની સમસ્યા થાય છે. દબાણ વધવાથી ગીઝર ફૂટી શકે છે. જો બોઈલર લીક થાય અથવા વિસ્ફોટ થાય, તો તમે વીજ કરંટના લીધે મૃત્યુ પામી શકો છો. ગીઝરને દર બે વર્ષે રીસ્કેલ કરવું જોઈએ નહીંતર શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જાય છે. સિવાય મોટાભાગના ગીઝરમાં ઓટોમેટિક હીટ સેન્સર લગાવવામાં આવ્યા છે, જો ઓટોમેટિક સેન્સર કામ કરવાનું બંધ કરી દે તો પણ ગીઝર બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.

કેવી રીતે રાખશો સાવધાની?

1) જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે ગીઝર બંધ કરીને સ્નાન કરો. નહાતા પહેલા ગીઝર ચાલુ કરીને પાણીને ગરમ કરો અને તેને ડોલ અથવા અન્ય કોઈ પાત્રમાં સંગ્રહ કરો.

2) જ્યાં પણ ગીઝર લગાવ્યું છે, ત્યાં ધ્યાન રાખો કે દિવાલ અને ગીઝર વચ્ચે થોડી જગ્યા ખાલી હોવી જોઈએ.

3) જો તમે વોટર હીટર ખરીદી રહ્યા છો, તો ચોક્કસપણે તેના રેટિંગ પર ધ્યાન આપો. માત્ર પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ પસંદ કરો..

4) ISI માર્ક વાળું સારી ગુણવત્તાનું ગીઝર લગાવો.ઓટોમેટિક સ્વીચ ઓફ સિસ્ટમ સાથે ગીઝર ખરીદો.

5) વોટર હીટર પરના સિક્યોરિટી ફીચર પર ધ્યાન આપો, જેથી તમે સુરક્ષિત રહી શકો, જેમ કે લીકેજના કિસ્સામાં પાવર સપ્લાય બંધ થઈ જાય છે, પ્લગ ઈન કર્યા પછી પણ કરંટ લાગતો નથી.

6) હીટર ખરીદતી વખતે જુઓ કે વોટર હીટર શોપ પ્રૂફ છે. પ્રેશર કંટ્રોલ કરે તેવા ફિચર્સ હોવા પણ જરૂરી છે.

7) સમયસર ગીઝરની સર્વિસ કરાવો, ગીઝર ફક્ત એન્જિનિયર થકી ફીટ કરાવો.

8) હંમેશા મોટું ગીઝર ખરીદો, બાથરૂમ માટે ઓછામાં ઓછું 10 થી 35 લીટરનું ગીઝર ખરીદો.

વાતનું ધ્યાન રાખો

જો તમે રૂમમાં રૂમ હીટર ચલાવો છો અને તમે કાર્બન મોનોક્સાઇડનો શિકાર થઈ રહ્યા છો કે કેમ, તે જાણવા માગો છો તો બાબતોનું ધ્યાન રાખો. જો તમે હીટર ચલાવ્યાના થોડા સમય પછી માથાનો દુખાવો, ચક્કર આવવા, પેટમાં દુખાવો, અથવા અસ્વસ્થતા અનુભવવી, ઉલ્ટી જેવું થવા લાગે તો લક્ષણો પરથી સમજી લો કે તમારા રૂમની હવા ઝેરી બની ગઈ છે.

(5:47 pm IST)