Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજપીપળા કોવિડ સ્મશાનના સેવાકાર્ય માટે વધુ એક વૈષ્ણવ સમાજના મહિલા અગ્રણી દ્વારા 25,000 નું દાન

ગતરોજ રાજપીપળા મોદી પરિવારના જનકભાઈ મોદીએ 10 હજાર દાન આપ્યા બાદ આજે ભારતી બેન પરીખે 25 હજાર દાનમાં આપ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના ની શરૂઆત થઈ ત્યારથી આજદિન સુધી કોવિડના મૃતકોનો અંતિમવિધિ રાજપીપળા ખાતેના સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા કાર્યરત કોવિડ સ્મશાન ખાતે ચાલુ જ છે પરંતુ એપ્રિલ મહિના થી કોવિડ સ્મશાનમા મૃતકોની અંતિમક્રિયા માટે લાકડા અને ત્યારબાદ પૈસાની તકલીફ ઊભી થતા એક બાદ એક દાનવીરો દ્વારા દાન મળતા આ સેવાકાર્ય ચાલુ જ છે જેમાં ગઈકાલે રાજપીપળા આશાપુરીમાં રહેતા જનકભાઈ ઇન્દુકાંત મોદી એ 10 હજાર દાનમાં આપ્યા બાદ આજરોજ મૂળ રાજપીપળા ના અને હાલ વડોદરા સ્થિત ભારતીબેન મહેશકુમાર પરીખ દ્વારા રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ચાલતી કોવિડ સ્મશાનની સેવા માટે રૂ.25000નું દાન મળ્યું છે.આમ એક બાદ એક આ સેવા કાર્ય માટે દાનવીરો મદદરૂપ થઇ રહ્યા છે.

(9:14 am IST)