Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજુલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂનો કોરોનાએ ભોગ લીધો

રાજકોટ, તા. :. અમરેલી જિલ્લાના રાજુલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ રૂનું કોરોનામાં મૃત્યુ થતા ઘેરોશોક છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ હવે ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ રૂને કોરોનાના લક્ષણો સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓએ અંતિમશ્વાસ લીધા હતા.

પ્રતાપભાઈ રૂ તુલસીશ્યામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હતા. ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજના તેઓ અગ્રણી હતા.

પ્રતાપભાઈ રૂના નિધનના સમાચારથી અમરેલી અને રાજુલા પંથકમાં ભારે શોક છવાઈ ગયો છે.

(5:12 pm IST)