Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ :ધોરણ-3થી ધોરણ-12નું ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રહેશે : વિદ્યાર્થીઓને શાળાએ બોલાવાના રહેશે નહી

અમદાવાદ ::સમગ્ર શિક્ષા અભિયાનના વંચાણે લીધેલ ક્રમાંક-૧ સામેના તા.૦૧/૦૬/૨૦૨૧ના પત્રથી ધોરણ-૩ થી ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યમાં માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરવા બાબતે વિગતવાર સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. રાજ્યની તમામ બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૦૭/૦૬/૨૦૨૧થી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થનાર છે.

કોરોના(કોવિડ-૧૯)ની ફેલાયેલી વૈશ્વીક મહામારીના કારણે રાજ્યની તમામ બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વંચાણે લીધેલ ક્રમાંક-(૧) ની સુચનાઓ ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા અન્ય સુચનાઓ ન મળે ત્યા સુધી ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું રહેશે. કોઇપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવાના રહેશે નહી.

 

(10:23 pm IST)