Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

અમદાવાદમાં કહેર સાથે રાજ્યમાં વકરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 665 નવા કેસ નોંધાયા:વધુ 536 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10,947: કુલ 12,20.682 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 55.091 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3724 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 665 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 536 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.20.682 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.947 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.81 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 55.091 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,16.99.603 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3724 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે,અને 3721 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 665 અમદાવાદ કોર્પોરેશન 252 કેસ, સુરત કોર્પોરેશન 84 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 56 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 45 કેસ,વલસાડમાં 28 કેસ , ગાંધીનગરમાં 27 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 24 કેસ,નવસારીમાં 22 કેસ, મહેસાણા અને સુરતમાં 20-20 કેસ, કચ્છમાં 13 કેસ, આણંદ અને મોરબીમાં 8-8 કેસ, અમદાવાદમાં 7 કેસ, જામનગર કોર્પોરેશન અને પાટણમાં 6-6 કેસ, ખેડા, રાજકોટ,અને રાજકોર કોર્પોરેશનમાં 5-5 કેસ, ભરૂચ, ભાવનગર અને વડોદરામાં 4-4 કેસ,અમરેલી,અને બનાસકાંઠામાં 3-3 કેસ, પોરબંદરમાં 2 કેસ, અરવલ્લી,દેવભૂમિ દ્વારકા,જામનગર,અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે 

(7:59 pm IST)