Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રાજપીપળા રણછોડજી મંદિર પાસે રહેતા યુવાને ઘરમાં ફાંસો ખાઈ લેતા અરેરાટી ફેલાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના રણછોડજી મંદિર નજીક રહેતા યુવાને કોઈ કારણસર ફાસો ખાતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજપીપળાના રણછોડજી મંદિર પાસે રહેતા રાકેશભાઇ યોગેશચન્દ્ર પરીખ ( ઉ.વ.૩૫ )એ તા. 4 ઓગસ્ટ બપોરે 1.30 કલાકે પોતાના ઘરના બીજા માળે લાકડાનાં દાદર સાથે નાઇલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાતા તત્કાલ આ યુવાનને રાજપીપલા સરકારી દવાખાનામાં લાવતા ફરજ પરના ડોકટર તેને મૃત જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:31 pm IST)