Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ખેલ રત્ન પુરસ્કારના નામમાં મેજર ધ્યાનચંદજીનું નામ જોડવાનો નિર્ણય દેશની આકાંક્ષાઓ અને ભાવનાઓનું સન્માનઃ નરેન્દ્રભાઈના નિર્ણયને વધાવતા વિજયભાઈ

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ રત્ન પુરસ્કારનું નામ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની સાથે જોડવાનો નિર્ણય કરીને દેશની આંકાક્ષાઓ અને ભાવનાઓનું સન્માન કર્યુ છે. આ નિર્ણય દેશના બધા રમતપ્રેમીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ એક શાનદાર ભેટ છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યુ છે.

(4:04 pm IST)