Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વિરમગામ ટાઉન હોલ ખાતે "રોજગાર દિવસ" અંતર્ગત નિમણૂંક પત્રો એનાયત કરાયા

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે વિરમગામ ટાઉન હોલ ખાતે  "રોજગાર દિવસ" અંતર્ગત નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

 આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી  સુરેશભાઈ પટેલ , નવદીપભાઈ ડોડીયા, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, દિપાબેન ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ,તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન કોળીપટેલ , વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ,  રમેશભાઈ કોળીપટેલ , દિપકભાઈ પટેલ , જિલ્લા પંચાયત સદસ્ય વિષ્ણુભાઈ જાદવ , પ્રમોદભાઈ પટેલ ,  મયુરભાઈ ચાવડા , જનકભાઈ પટેલ , ભરતસિંહ ઝાલા, શોસિયલ મિડીયા વિભાગ વિરમગામ કન્વીનર જીજ્ઞેશ સી હાડગરા સહીત સરકારી અધીકારી ઓ કર્મચારીઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈને રાજ્યના 50,000 થી વધુ યુવાનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે.

(6:53 pm IST)