Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 965 નવા કેસ નોંધાયા:વધુ 928 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10,974 થયો : કુલ 12.43.489 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 3.39.445 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 6029 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 965 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 928 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.43.489 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.974 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.65 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 3.39,445 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.85.87.706 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 6029 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 18 દર્દી વેન્ટિલેટર પર છે,અને 6011 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 965 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 259 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 81 કેસ,વડોદરામાં 60 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 56 કેસ, સાબરકાંઠામાં 46 કેસ, મહેસાણામાં 43 કેસ, સુરત કોર્પોરેશનમાં 42 કેસ,કચ્છમાં 38 કેસ,રાજકોટમાં 33 કેસ, મોરબીમાં 31 કેસ,સુરતમાં 26 કેસ,અરવલ્લી અને ગાંધીનગરમાં 24-24 કેસ,અમરેલીમાં 23 કેસ, વલસાડમાં 22 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 15 કેસ, આણંદ અને બનાસકાંઠામાં 14-14 કેસ,નવસારી અને પાટણમાં 13-13 કેસ,પંચમહાલમાં 12 કેસ, સુરેન્દ્રનગરમાં 11 કેસ,જામનગર કોર્પોરેશનમાં 10 કેસ, દેવભૂમિ દ્વારકામાં 9 કેસ, પોરબંદરમાં 8 કેસ, ભરૂચમાં 7 કેસ, અમદાવાદ અને ખેડામાં 6-6 કેસ,ભાવનગર અને ભાવનગર કોર્પોરેશનમાં 5-5 કેસ,દાહોદ, ગીર સોમનાથ અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2-2 કેસ, ડાંગ, જૂનાગઢ અને મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:23 pm IST)