Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અમદાવાદમાં નવા 17 પોઝિટિવ કેસ સહીત મહાનગરોમાં કોરોનાનો ભરડો :રાજ્યમાં નવા 48 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 24 દર્દીઓ સાજા થયા:આજે સુરતમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.095 :કુલ 8.17.263 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 1.39.589 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 17 કેસ, સુરતમાં 9 કેસ,વડોદરામાં 7 કેસ,ભાવનગરમાં 4 કેસ, જામનગરમાં 2 કેસ, આણંદ ,ભરૂચ,ખેડા, કચ્છ, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર ,તાપી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 318 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 48 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 24 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 48 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 24 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.17.263 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી સુરતમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.095 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.39.589 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8.28.33.719 રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ  349 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 લોકો વેન્ટિલેટર પર અને 342 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.17.263 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.095 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 48 કેસમાં અમદાવાદમાં 17 કેસ, સુરતમાં 9 કેસ,વડોદરામાં 7 કેસ,ભાવનગરમાં 4 કેસ, જામનગરમાં 2 કેસ, આણંદ ,ભરૂચ,ખેડા, કચ્છ, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર ,તાપી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે

(8:23 pm IST)