Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વડોદરાના ડભોઇ વિસ્તારમાં સસરાના ઘરે પાપડી કરવા ગયેલ પરિણીતાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 80 હજારની મતાની ઉઠાંતરી કરી

વડોદરા: ડભોઇમાં આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતી વિધવા વર્ષાબેન શૈલેષભાઈ વસાવા પોતાનું ઘર બંધ કરી ડભોઇમાં જ યમુના નગર સોસાયટીમાં રહેતા સસરાના ઘેર પાપડી કરવા ગઈ હતી અને બીજા દિવસે સવારે પોતાના ઘેર પરત ફરી ત્યારે ઘરના દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને ઘરમાંથી ચોરી થઈ હોવાનું જણાયું હતું. ચોરો ઘરમાંથી સામાન વેરવિખેર કરી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 80,000 ની મત્તા ઉઠાવી ગયા હતા.D

(5:49 pm IST)