Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વડોદરા:અવારનવાર થતા ઝઘડાથી આપઘાત કરવા નીકળેલ યુપીની મહિલા ગૂમ થઇ જતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: સામાન્ય બાબતમાં આવેશમાં આવી જવાથી લેવાતા અવિચારી કૃત્ય કેવા સંજોગો ઊભા કરે છે તેનો કિસ્સો વડોદરા રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યો હતો.

યુપીના મિરઝાપુર માં રહેતી શાંતિ દેવી નામની મહિલાને તેના પતિ સાથે અવારનવાર ઝઘડો થતો હોવાથી તે કંટાળી ગઈ હતી. ત્રણ દિવસ પહેલા ફરીથી બંને વચ્ચે બોલાચાલી થતાં આવેશમાં આવી ગયેલી મહિલા આપઘાત કરવાની ઈરાદે ઘરમાંથી નીકળી ગઈ હતી.મહિલા રેલવે સ્ટેશનને પહોંચ્યા બાદ ટ્રેનમાં બેસી જતા વડોદરા આવી હતી. મહિલા પાસે રૂપિયા પણ નહીં હોવાથી અને કોઈ પરિચિત પણ નહીં હોવાથી તે અટવાઈ ગઈ હતી.વડોદરા રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં રજળપાટ કરતી મહિલા ને જોઈ કોઈ વ્યક્તિએ અભયમને જાણ કરતા અભયમની ટીમે મહિલાનું કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારબાદ મહિલા પાસે સંબંધીના સરનામાં મેળવી પોલીસે તેના પતિનો સંપર્ક કર્યો હતો અને તેને વડોદરા બોલાવ્યો હતો. પતિને વડોદરા આવતા બે દિવસ લાગે તેમ હોવાથી સુરત ખાતે રહેતા મામા નો સંપર્ક કરી મહિલાને સુરક્ષિત રીતે સોંપી દેવામાં આવી હતી.

(5:49 pm IST)