Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મધુ શ્રીવાસ્તવે જીતનો દાવો કર્યો: કહ્યુ -જો હું ચૂંટણીમાં જીતીશ તો પણ અપક્ષમાં જ રહીશ

મધુ શ્રીવાસ્તવે કહ્યું કોઈ પાર્ટીમાં જોડાવુ કે નહીં તે અંગે મારા કાર્યકર્તા કહેશે તે પ્રમાણે નિર્ણય લઇશ.

અમદાવાદ :  મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જે પછી મધુ શ્રીવાસ્તવે ટિકિટ કપાતા તેમણે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારે દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વાઘોડીયા બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બીજા તબક્કામાં વડોદરામાં મતદાન પૂર્ણ થયા બાદ મધુ શ્રીવાસ્તવે જીતનો દાવો કર્યો છે. સાથે જ મધુ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે જો હું ચૂંટણીમાં જીતીશ તો પણ અપક્ષમાં જ રહીશ. કોઈ પાર્ટીમાં જોડાવુ કે નહીં તે અંગે મારા કાર્યકર્તા કહેશે તે પ્રમાણે નિર્ણય લઇશ.

(9:00 pm IST)