Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમદાવાદના સરદારનગરમાં પથ્થરમારા મામલે પોલીસે કરી 2 આરોપીની ધરપકડ

પોલીસે મહિલાઓ સહિત 19 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી

અમદાવાદના સરદારનગરમાં પથ્થરમારા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. અગાઉની હત્યાની અદાવતમાં સામ-સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સરદારનગર પોલીસે રાયોટિંગની ફરિયાદ નોંધી છે. પોલીસે મહિલાઓ સહિત 19 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 

 સરદારનગરમાં યુવકની હત્યાની અદાવતમાં એકજ સમાજના બે જુથો વચ્ચે તકરાર થઇ હતી જેમાં મામલો બિચકતાં મહિલાઓ સહિતના લોકોેએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો અને વાહનોની તોડફોડ કરી હતી. આ મારા મારીમાં ચાર લોકો ઘાયલ થયા હતા.  

  સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરપી.વી. ગોહિલના જણાવ્યા મુજબ  સરદારનગર વિસ્તારમાં નહેરુનગર ખાતે વર્ષ પહેલા યુવકની હત્યા થઈ હતી જેને લઇને આજે  સવારે એક સમાજના બે જુથો વચ્ચે તકરાર થઇ હતી બાદમાં વાતાવરણ ઉગ્ર બનતાં જોત જોતામાં બે જૂથ્થો વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો.

(12:34 am IST)