Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ગિરનાર પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર હુમલો : કોઈ સાધુએ તલવાર મારી ગંભીર ઇજા પહોંચાડી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭  :ગિરનાર પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવાર વડે હુમલો કરાયાના અહેવાલો મળી રહ્યા છે.પીઠાધીશ્વર જયશ્રીકાનંદ  માતાજી પર જીવલેણ હુમલો કરાયો છે , ગીરનાર ક્ષેત્રના સાધુએ હુમલો કર્યો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

       હુમલો થતાં સંતો મહંતો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે.વધુ વિગતો મેળવાઈ રહી છે.

       ભવનાથ ક્ષેત્રના જયશ્રીકાનંદ ગીરી ને કોઈ સાધુએ તલવાર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાનાં સમાચાર પ્રાપ્ત થયા છે. અત્યારે સિવિલ હોસ્પિટલ માં રૂમ નં.302 માં તબીબો સારવાર કરી રહ્યા છે.

(8:11 pm IST)