Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત આધેડ પુરુષનું મોત : નવા રાઉન્ડમાં આ ત્રીજું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં રાજપીપળા ના વડીયા પેલેસ ખાતે આવેલ કોવીડ હોસ્પિટલ અને કેર સેન્ટર્ ખાતે દર્દીઓની સંખ્યા વધી રહી છે દરમ્યાન કોરોનાથી રાજપીપળા ખાતે કોવિડ હોસ્પિટલ માં દાખલ દંપતીના મોત બાદ હાલ ત્રીજું એક આધેડનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ 5 એપ્રિલે રાજપીપળા ની કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ નજીકના ડેડીયાપાડા ના આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું હોય  કોરોનાના આ નવા રાઉન્ડમાં રાજપીપળા ખાતે મોત નિપજ્યા નો આ ત્રીજો બનાવ છે જેમાં અગાઉ દંપતિનું મોત  નીપજ્યું હતું અને હાલ ડેડીયાપાડા ગામના એક આધેડનું મોત થતા મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે.

(11:14 pm IST)