Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સુરતના ઉમરવાડા વિસ્તારમાં માતા-પિતા બાળકને ઊંચકીને હોસ્પિટલમાં આમતેમ ફરતા રહ્યા:બદલામાં મળ્યું મૃત બાળક

 સુરત: ઉમરવાડા વિસ્તારના શ્રમજીવી પરિવારજનો બીમાર બાળકને  દૂર સુધી હાથમાં ઉંચકીને દોડયા હતા. અને નવી સિવિલમાં પહોંચ્યા ત્યારે ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ  ઉમરવાડામાં રહેતા રણજીત સહાનીનો ૩ વર્ષીય પુત્ર મનીષ કુમારે ઝાડા ઉલ્ટી થતા હોવાથી  તબિયત વધુ બગડતા આજે વહેલી સવારે પિતા અને પરિવારના સભ્યો તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે મનીષની તબિયત બગડતા સારવાર  માટે હોસ્પિટલમાં લઇ જવા નીકળ્યા હતા પણ નજીકમાં કોઇ રીક્ષા નહીં મળતા થોડે દૂર સુધી તેઓ બાળકને હાથમાં ઉંચકીને દોડયા હતા. અને થોડે દૂર પહોંચતા એક રીક્ષા મળતા તેમાં તેને સિવિલમાં લાવ્યા હતા. મનીષનો એક ભાઈ છે. અને તેના પિતા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

(5:54 pm IST)