Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રાજ્યમાં કોરોનાના નવા 12,064 કેસ નોંધાયા : વધુ 13,085 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 119 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 8154 થયો : કુલ 5,03,497 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1,84,659 લોકોનું રસીકરણ કરાયું : સતત ત્રીજા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ

અમદાવાદમાં 3837 કેસ, સુરતમાં 1209 કેસ, વડોદરામાં 1038 કેસ, જામનગરમાં 726 કેસ, રાજકોટમાં 496 કેસ, મહેસાણામાં 497 કેસ, ભાવનગરમાં 391 કેસ, ગાંધીનગરમાં 286 કેસ, જૂનાગઢમાં 282 કેસ, ગીર સોમનાથમાં 231 કેસ, પંચમહાલમાં 223 કેસ, કચ્છમાં 211 કેસ, મહીસાગરમાં 210 કેસ, બનાસકાંઠામાં 207 કેસ, આણંદમાં 185 કેસ, દાહોદમાં 190 કેસ, અરવલ્લીમાં 155 કેસ, નવસારીમાં 146 કેસ, ખેડામાં 142 કેસ, પાટણમાં 139 કેસ, ભરૂચ, તાપી અને નર્મદામાં 114-114 કેસ, સુરેન્દ્રનગરમાં 112 કેસ, સાબરકાંઠામાં 110 કેસ, વલસાડમાં 102 કેસ નોંધાયા : હાલમાં 1,46,385 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે રાજ્યમાં 12,064 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 13,085  દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 12,064 કેસ નોંધાયા છે જયારે વધુ 13,085 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 119 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 8154  થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 76,52 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,46,385 એક્ટિવ કેસ છે, જેમાંથી 775 લોકો વેન્ટિલેટર પર અને 1,45,610 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5,03,497 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 1,02,24,941 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 29,89,975 બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,32,14,916 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં 18થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિઓને પ્રથમ ડોઝની રસીકરણ કરવામાં આવ્યું છે તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 38,139 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે  અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આડઅસર જોવા મળી નથી 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 12,064 કેસમાં અમદાવાદમાં 3837 કેસ,સુરતમાં 1209 કેસ,વડોદરામાં 1038 કેસ,જામનગરમાં 726 કેસ, રાજકોટમાં 496 કેસ, મહેસાણામાં 497 કેસ, ભાવનગરમાં 391 કેસ,ગાંધીનગરમાં 286 કેસ, જૂનાગઢમાં 282 કેસ, ગીર સોમનાથમાં 231 કેસ, પંચમહાલમાં 223 કેસ, કચ્છમાં 211 કેસ, મહીસાગરમાં 210 કેસ, બનાસકાંઠામાં 207 કેસ,આણંદમાં 185 કેસ,દાહોદમાં 190 કેસ, અરવલ્લીમાં 155 કેસ, નવસારીમાં 146 કેસ,ખેડામાં 142 કેસ,પાટણમાં 139 કેસ,ભરૂચ , તાપી અને નર્મદામાં 114-114 કેસ,સુરેન્દ્રનગરમાં 112 કેસ,સાબરકાંઠામાં 110 કેસ, વલસાડમાં 102 કેસ નોંધાયા છે

(8:35 pm IST)