Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અકસ્‍માતમાં બે વાહનોમાં આગ લાગતા ડ્રાઇવર જીવતા ભડથુ

૬ વાહનો પણ ભસ્‍મીભૂત : સુરેન્‍દ્રનગરના માલવણ-કચ્‍છ હાઇ-વે ઉપર હરીપરના પાટીયા પાસે દુર્ઘટનાઃ વાહનોની લાઇનો

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૭ : સુરેન્‍દ્રનગરના માલવણ-કચ્‍છ હાઇ-વે ઉપર હરીપરના પાટીયા પાસે ૨ ટેન્‍કરો વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બંનેમાં આગ લાગતા એક ડ્રાઇવરનું મોત થયુ હતું. જ્‍યારે ૬ વાહનો આગમાં ખાખ થઇ ગયા હતા.

સુરેન્‍દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હરીપર રોડ ઉપર ગમખ્‍વાર દુર્ઘટના સર્જાવા પામી છે જેમાં એકી સાથે પાંચ વાહનો ટકરાતા બે ટેન્‍કરોમાં મોટી ભયાનક વિકરાળ આગ લાગવાની ઘટના બની છે ત્‍યારે આ દ્યટનામાં એક ટેન્‍કર નો ડ્રાઇવર જેમાં જીવતો ભૂંજાઈ ગયો છે ત્‍યારે હાલમાં ધાંગધ્રા હરીપર રોડ બંધ કરવાની પોલીસ તંત્રને ફરજ પડી છે ત્‍યારે હાલમાં ધાંગધ્રા સુરેન્‍દ્રનગર વિરમગામ હળવદ સહિતના આજુબાજુના ગામોમાંથી તાત્‍કાલિક અસરે ફાયર બ્રિગેડ જાણકારી આપી અને ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્‍યા છે ત્‍યારે હાલમાં પોલીસ તંત્રનો કાફલો પણ ધાંગધ્રા હરીપર રોડ ઉપર પહોંચી અને કામગીરી હાથ ધરી રહ્યો છે

જેમાં એક ટેન્‍કર નો ડ્રાઇવર ભોળા રામ સતા રામ નામ નો ડાઈવર ટેન્‍કરમાં જીવતો ભૂંજાઈ જવા પામ્‍યો છે અને આ અકસ્‍માત એટલો ભયંકર અકસ્‍માત છે કે હાઈવે ઉપર બંને ટેન્‍કરોમાં કેમિકલ ભરેલા હોવાના કારણે આગ લાગવાની દ્યટના પણ બની છે અને હાલમાં બંને ટેન્‍કરો ભરીને ઘટનાસ્‍થળ પર ખા ખ બની ગયા છે ત્‍યારે પોલીસ તંત્ર આ ડ્રાઈવરના પરિવારજનોને તેમના દેશમાં જાણકારી આપવામાં આવી છે ત્‍યારે પોલીસ તંત્રે જણાવ્‍યું કે ગાંધીધામ થી કેમિકલ ભરી અને અમદાવાદ તરફ આ ટેન્‍કર જતા હોવાનું જાણવા મળ્‍યું છે ત્‍યારે હાઇવે ઉપર એક જ માલિક ના અને એક જ કંપનીના ત્રણ કરો એકી સાથે પસાર થઇ રહ્યા હતા ત્‍યારે આ દુર્દ્યટના સર્જાઇ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે ત્‍યારે હાલમાં હાઈવે ઉપર આ અકસ્‍માત મા આગ લાગવાની દ્યટના બનતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી.

(12:02 pm IST)