Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

લોકોને જમીનની ખરીદી ઉપર નહી માત્ર બાંધકામ ખર્ચ ઉપર જીએસટી લાગુ પડશે.: ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

રાજય સરકાર દ્વારા લેવાતા ૩૩ ટકા મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરાઇ'તી

 

 અમદાવાદ તા. ૭ : રાજય સરકાર દ્વારા મકાન ખરીદી મુદ્દે ૩૩ ટકા જીએસટી લાગુ કરવામાં આવી હતી જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાતા હાઇકોર્ટે મકાન ખરીદી મુદ્દે રાહતરૂપ ચુકાદો આપ્‍યો છે.

 

ગુજરાત હાઇકોર્ટનો મકાન ખરીદી મૂદ્દે મોટો ચુકાદો

જમીન ખરીદી પર GST નહીં લાગુ પડે

સરકાર દ્વારા લેવાતા 33 % જમીનનીના ખર્ચ અયોગ્ય 

ઝી ન્યૂઝ/અમદાવાદ: ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટા ખુશખબર મળી રહ્યા છે. જમીન ખરીદી મામલે HC મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકો જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર GST લાગશે. બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી GST ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ ચુકાદો આવી ગયો છે.

ગુજરાત હાઇકોર્ટમાં અરજીકર્તાએ સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર GST લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા GSTમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં. કેસના અરજદારે કહ્યું કાયદાકીય જોગવાઇ પ્રમાણે GST વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર GSTની વસુલાત કરી શકે.

હાઇકોર્ટે અરજદારની અરજી પર ચુકાદો આપતા જણાવ્યું છે કે સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર GST વસુલી શકાશે.

 

જાણો શું છે સમગ્ર વિવાદ

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર GST લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જેણા કારણે ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે ઘર ખરીદવું દુષ્વાર બન્યું હતું. GSTના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે GST ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા

કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર GST લાગે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ GSTના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

(5:44 pm IST)