Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અમદાવાદ:એરપોર્ટ જવાના રસ્તે પુરપાટ ઝડપે જતી રીક્ષાચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલ્ટી ખાવાથી ચાલકનું મોત

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ તરફ જવાના રસ્તે પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવતા રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે રિક્ષા ચાલકને માથાને ભાગે અને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા રિક્ષાચાલકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ઓટો રિક્ષા નં- GJ-01-DT-3332 હનુમાન કેમ્પ મંદિર સામે એરપોર્ટ તરફ જતા રોડ ઉપર ઉત્તર તરફ ડિવાઈડર સાથે અથડાતા પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષા ચાલકના શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત દરમિયાન સદનસીબે રિક્ષામાં કોઈ પેસેન્જર નહોતું. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)