Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગાંધીનગર ખાતે 9 મે ના ધરણા કાર્યક્રમમા નર્મદાના જીલ્લાના 500 થી વધુ શિક્ષકોનો જોડાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત આગમી તારીખ 9.5.2022 ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં મહત્વની માંગણીઓમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા બીજા અન્ય પ્રશ્નો સંદર્ભે નર્મદા જિલ્લાના તમામ તાલુકા ઓમાંથી આશરે 500 જેટલા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ગાંધીનગર મુકામે હાજર રહીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે
ઘણા લાંબા સમયથી ચાલતી શિક્ષકોની આ માંગણીઓ બાબતે સરકાર ટ્સની મસ ન થતાં શિક્ષકોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ નું આયોજન કર્યું છે જેમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના 500 થી વધુ શિક્ષકો જોડાશે.

   
(10:47 pm IST)