Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

નવા વાઘપુરા ગામની સીમના ખેતરમાં પૂંજા કરાવતા શખ્સને મારી નાખવાની ધમકી,6 સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ગામની સીમમાં આવેલામાં પૂંજન કરાવતા માલિકને ધમકી આપતા છ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી અનુસાર ડૉ.અશોકકુમાર કરણસિંહ ગોહિલનાઓએ આપેલી ફરિયાદ મુજબ તે તથા તેમના પત્ની રાગીણીબેન અશોકકુમાર ગોહીલનાઓ પોતાના કબજા હેઠળ ના વાઘપુરા ગામની સીમમાં આવેલ ખેતર સર્વે નંબર ૨૮૪ અને ૨૮૯માં અખાત્રીજનુ પુજન કરી સર્વે નંબર ૨૪ વાળા ખેતરમાં ટ્રેક્ટર વડે પ્લાય મારી ખેડાણ કરાવતા હતા અને ત્યાં હાજર હતા તે વખતે વિક્રમસિંહ રૂપસિંહ ગોહીલ,રણજીતસિંહ રૂપસિંહ ગોહિલ,પ્રવિણસિંહ રૂપસિંહ ગોહીલ ,સુરસિંહ રૂપસિંહ ગોહિલ,દિલીપસિંહ સુરજસિંહ ગોહિલ તથા સજવીર સિંહ પ્રવિણસિંહ ગોહિલ નાઓએ એક સંપ થઇ ગે.કા. મંડળી રચી ત્યાં ખેતરમ ગેર કાદસર રીતે પ્રવેશ કરી જણાવ્યું કે આ ખેતર અમારું છે તમે અહીંયાથી નીકળી જાવ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી રાજપીપળા પોલીસે છ સામે ગુનો દાખલ કર્યો છે.

   
(10:50 pm IST)