Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કોંગ્રેસે ચૂંટણીની તૈયારી શરૂ કરીઃ રાજકોટ-પોરબંદર સહિત ૧૧ જીલ્લા માટે ઓબ્‍ઝર્વરની નિયુકિત

રાજકોટ માટે પ્રમોદ જૈન ભૈયા અને પાનાચંદ મેઘવાલ : પોરબંદરના ઓબ્‍ઝર્વર તરીકે રામપાલ શર્માની નિમણુક

નવી દિલ્‍હી, તા.૭: ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને કેટલાક મહિનાઓ જ બાકી રહ્યા છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જંગી સભાઓ સંબોધી રહ્યા છે, તો બીજી તરફ વિશાળ રેલીઓ યોજીને શક્‍તિપ્રદર્શન પણ થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં વિપક્ષે પણ તૈયારી પૂર્ણ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પણ તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઓબ્‍ઝર્વર નિયુક્‍ત કર્યા છે.

કોંગ્રેસે ગુજરાત વિધાન સભાની ૨૦૨૨ની ચૂંટણીને કબ્‍જે કરવા દિગ્‍ગજ નેતાઓની ફોજ ઉતારી છે. કચ્‍છ (sc)ના ઓબ્‍ઝર્વર તરીકે મોહમ્‍મદ સાલે અને ઈન્‍દ્રરાજ સિંગને નિયુક્‍ત કર્યા છે. બનાસકાંઠાના ઓબ્‍ઝર્વર અશોક ચંદાની નિમણૂંક કરવામાં આવી છે. પાટણ રામલાલ જત જોશે. મહેસાણાના ઓબ્‍ઝર્વર તરીકે ઉદાઈલાલ અંજનાની નિયુક્‍તી કરવામાં આવી છે. સાબરકાંઠાના ઓબ્‍ઝર્વર તરીકે ઉમેશ પટેલના નામ પર મહોર લગવવામાં આવી છે. પાટનગર ગાંધીનગર ઓબ્‍ઝર્વર તરીકે જયસિંગ રાવલ અને સુરેશ મોદી છે.

હેરીટેજ શહેર અમદાવાદ(EAST)ઓબ્‍ઝર્વર તરીકે પ્રેમસાઈ સિંગ ટેકમ અને હકમ અલીખાને નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. સુરેન્‍દ્રનગર ઓબ્‍ઝર્વર તરીકે શ્રીમતી શંકુતલા રાવત અને અશોક બૈરવા, રાજકોટમાં પ્રમોદ જૈન ભૈયા, પાનાચંદ મેઘવાલની નિયુક્‍તી કરવામાં આવી છે. પોરબંદરમાં રામપાલ શર્માની નિયુક્‍તિ કરવામાં આવી છે.

(11:03 am IST)