Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

દાહોદ : ગરબાડા નજીક સીમમાં ઢોર ચરાવવા ગયેલ ત્રણ કિશોરો નદીના પાણીમાં તણાઈ જતા એકનું મૃત્યુ: બે નો આબાદ બચાવ

દાહોદ:ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામની સીમમાં  ઢોર ચરાવવા ગયેલા ત્રણ કિશોરો નદીના પાણીના વહેણમાં તણાઈ જતા ૧૩ વર્ષના એક બાળકનું મોત નિપજ્યું  છે જ્યારે બે બાળકોને બચાવી લેવાયા છે.

ઝરી ખરેલી બારીયા ફળિયાના રહેવાસી લલ્લુભાઇ બારીયાનો આઠમા ધોરણમાં અભ્યાસ કરતો પુત્ર  હરીશ (..૧૩) તેના મિત્રો સાથે આજે બારીયા ફળિયા નજીક નદીના કોતર બાજુ ઢોર ચરાવવા ગયો હતો. તે સમયે નદીના કોતરમાં રાહુલ અને અન્ય બે બાળકો પાણીના પ્રવાહમાં તણાતા બૂમાબૂમ થતા ભેગા થયેલા આસપાસના લોકોએ રાહુલ તેમજ અન્ય એક બાળકને બચાવી લીધા હતા પરંતુ હરીશ કોતરના પાણીમાં ડૂબી જતા મોતને ભેટયો હતો

(5:08 pm IST)