Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

દેત્રોજના બાલા હનુમાનજી મંદિરે હવન કરાયા : પ્રસાદી રૂપે ભગવત ગીતા, હનુમાન ચાલીસાનું વિતરણ

વૈશ્વિક મહામારી covid-19 ને ધ્યાનમાં રાખી 1000 માસ્કનું વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જીલ્લાના દેત્રોજના બાલા હનુમાનજી મંદિરે હવન કરવામાં આવ્ય હતુ. જેમાં પ્રસાદી રૂપે ભગવત ગીતા, હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૈશ્વિક મહામારી covid-19 ને ધ્યાનમાં રાખી 1000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  આ કાર્યક્રમમાં મનુજી ઠાકોર, જયંતીભાઈ ઠાકોર, સરપંચ રમેશભાઈ ઠાકોર, જિલુભા ઝાલા, કાળુભા સોલંકી તથા જગદીશભાઈ પ્રજાપતિ, બહુચર નાસ્તા હાઉસ સહીતના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું.

(6:11 pm IST)