Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નર્મદા જિલ્લામાં વધુ ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૫૬એ પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લા માં ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળામાં દરબાર રોડ ૧, આદિત્ય ૧, ટેકરા પોલીસ લાઈનમાં ૧ કોરોના પોઝિટિવ નોંધાયા છે ઉપરાંત નવા રાજુવાડિયા ૧ , વાવડી ૧, કરાઠા ૧, સૂકા ૧, કંથરપુરા ૧, ડેડીયાપાડા ૧ આમ જિલ્લામાં કુલ ૧૨ પોઝિટિવ દર્દી નોંધાયા છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૩ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૯ દર્દી દાખલ છે આજે ૨૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૯૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૫૬ એ પોહોચ્યો છે આજે વધુ ૩૩૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(6:41 pm IST)