Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નરોડા પાસે એસટી બસે રાહદારીને અડફેટે લીધો

બસે અડફેટે લેતા મોત થયું

અમદાવાદ,તા.૬ : શહેરના સીટીએમ ગ્રીનમાર્કેટ સામે આજે વહેલી સવારે બીઆરટીએસ રૂટમાંથી પસાર એસટી બસે અડફેટે લેતા રાહદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. નાનગરામ મીણા નામના વૃદ્ધ રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે બેફામ આવતી એસટી બસે તેમને અડફેટે લીધા હતા, ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવ અંગે આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ૬૫ વર્ષીય મૃતક નાનગરામ મીણા સીટીએમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે સવારે ચાલતા ચા પીવા માટે ગયા હતા. ચા પીને પરત બીઆરટીએસ ટ્રેકમાં ઝીબ્રા ક્રોસિંગ પર રસ્તો ક્રોસ કરતા હતા એ જ સમયે બીઆરટીએસ રૂટમાંથી પસાર થતી એસટી બસે તેમને ટક્કર મારી હતી. જેના કારણે નાનગરામ બસ નીચે આવી ગયા હતા અને તેમનું માથું ફાટી ગયું હતું. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

(9:48 pm IST)